GSRTC Bus Name : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – GSRTC દ્વારા ગુજરાતમાં ચાલતી બસોની સંચાલન કરે છે , તમે એવું વિચાર્યું જ હશે કે બસની ઉપર નર્મદા , તાપી , અમુલ, સોમનાથ, પાવાગઢ, ,આશ્રમ આવા શબ્દો કેમ લખેલા હોય છે? આ આર્ટિકલ માં અમે તેમના વિશે વિસ્તારથી ચર્ચા કરીશું.
ગુજરાત ST બસની માહિતી
ગુજરાતમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – GSRTC દરરોજ એક્સપ્રેસ અને લક્ઝરી બસ સેવાઓ પૂરી પાડે છે તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓએ માટે તથા વિકલાંગ લોકો માટે આ st બસ સુવિધા પૂરી પાડે છે. આ st બસની જાળવણી માટે ઘણા બધા ડેપો આવેલા છે. આ GSRTC ઓનલાઈન ટિકિટ, સીટોનું એડવાન્સ બુકિંગ અને રિઝર્વેશન ની સુવિધાઓ પણ ઉપલબદ્ધ છે. તેમજ તેમની એપ્લિકેશન પણ આ બધી સુવિધા રાખવામા આવી છે.
GSRTC ભરતી 2023, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન |
ધોરણ 1 થી 12 ના પુસ્તકો ડાઉનલોડ કરો, આગામી સત્રના અભ્યાસ કરવા માટે કામ લાગશે |
આ બસોની ઉપર આવેલા નામ
આ બસોમાં ઉપર આપેલા નામ તેમના વિસ્તાર મુજબ આપવામાં આવે છે જે આપણે નેચે પ્રમાણે જોઈએ.
- અમદાવાદ વિભાગની બસ પર “આશ્રમ” નામ લખેલું જોવા મળે છે.
- અમરેલી વિભાગની બસ પર “ગિર” નામ લખેલું જોવા મળે છે.
- ભરુચ વિભાગની બસ પર “નર્મદા” નામ લખેલું જોવા મળે છે.
- ભાવનગર વિભાગની બસ પર “શેત્રુંજય” નામ લખેલું જોવા મળે છે.
- ભૂજ વિભાગની બસ પર “કચ્છ” નામ લખેલું જોવા મળે છે.
- ગોધરા વિભાગની બસ પર “પાવાગઢ” નામ લખેલું જોવા મળે છે.
- હિમ્મતનગરની બસ પર “સાબર” નામ લખેલું જોવા મળે છે.
- જામનગર વિભાગની બસ પર “દ્વારકા” નામ લખેલું જોવા મળે છે.
- જુનાગઢ વિભાગની બસ પર “સોમનાથ” નામ લખેલું જોવા મળે છે.
- મહેસાણા વિભાગની બસ પર “મોઢેરા” નામ લખેલું જોવા મળે છે.
- નડિયાદ વિભાગની બસ પર “અમુલ” નામ લખેલું જોવા મળે છે.
- પાલનપૂર વિભાગની બસ પર “બનાસ” નામ લખેલું જોવા મળે છે.
- રાજકોટ વિભાગની બસ પર “સૌરાષ્ટ્ર” નામ લખેલું જોવા મળે છે.
- સુરત વિભાગની બસ પર “સૂર્યનગરી” નામ લખેલું જોવા મળે છે.
- વડોદરા વિભાગની બસ પર “વિશ્વામિત્રી” નામ લખેલું જોવા મળે છે.
- વલસાડ વિભાગની બસ પર “દમણ ગંગા” નામ લખેલું જોવા મળે છે.
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
GSRTC Bus Name